નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત
મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે આરોપીઓની ધરપકડ કરીને બે સગીરના અપહરણનો ભેદ ઉકેલ્યો
SHARE








મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે આરોપીઓની ધરપકડ કરીને બે સગીરના અપહરણનો ભેદ ઉકેલ્યો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા છેલ્લા દોઢ વર્ષમાં સગીરના અપહરણની બે ફરિયાદ નોંધાઈ હતી જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે સગીરવયની બે અલગ અલગ બાળાઓના અપહરણ કરી ભગાડી ગયેલા બે આરોપીની ધરપકડ કરેલ છે અને ભોગબનનારને પણ શોધી કાઢી છે
મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન એસપી દ્વારા આપવામાં આવ્યું હતું જેથી તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં સગીરના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગબનનાર તથા આરોપીઓન રાજસ્થાન કે પંજાબ રાજયમાં હોવાની હકિકત દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને મળેલ હતી જેથી કરીને પીએસઆઈ વી.કે.કોઠીયા અને ટીમને રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ રાજય ખાતે મોકલવામાં આવી હતી ત્યારે સગીરાના અપહરનના ગુનામાં આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ (ઉ.૨૫) રહે. જીકડીયા (રાજસ્થાન) વાળાને તથા ભોગબનનારને રાજસ્થાન રાજયના કોટા જીલ્લાના રંગવાડી વિસ્તાર માંથી શોધી કાઢવામાં આવેલ છે આ ઉપરાંત આરોપી સતેન્દ્રકુમાર બ્રિજેશકુમાર ઉર્ફે બ્રજનાથ રાજભર (ઉ.૨૬) રહે. મુળ સરદાસપુર (ઉત્તરપ્રદેશ) વાળાને પંજાબ રાજયના જીવનનગર લુધીયાણા ખાતેથી તથા ભોગબનનારને સરદાસપુર (ઉત્તરપ્રદેશ) ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે આમ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને છેલ્લા વર્ષમાં થયેલ બે અપહરણના ગુનામાં આરોપીને પકડીને સગીરને શોધી કાઢેલ છે

