મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત 


SHARE











મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત 

મોરબીના વાંકાનેર તાલુકાની હદમાં આવેલા રાતાવિરડા ગામે પેપરમીલ નજીક રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂર યુવાનને ગત મોડી રાત્રીના સાપ કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરીને લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલ દિયાન પેપર મીલ નજીક રહીને મજૂરીકામ કરતા વામ્પુભાઈ ગુડુપ્પાભાઈ એન્ડુકોન્ડાલા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય મજુર યુવાનને ગત રાત્રીના સાપ કરડી ગયો હોવાથી તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને એ ડિવિઝન પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી અને ફોરેન્સિક પીએમ કરવું જરૂરી હોય હાલમાં વામ્પુભાઈ ગુડુપ્પાભાઈ એન્ડુકોન્ડાલા નામના ૪૫ વર્ષીય પરપ્રાંતીય મજૂરના ડેડબોડીને રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ માટે ખસેડાયો છે અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ મથકના હકાભાઇ ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

માળિયા-મિંયાણાના સોનગઢ ગામે રહેતો ધીરૂભાઈ ચંદુભાઈ વિરડા નામનો ૨૭ વર્ષનો યુવાન માળીયા હાઈવે ઉપર પુલ નજીકથી બાઇક લઇ જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ધીરૂભાઈ વિરડાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા અજય રમેશ થરેશા (૧૮), નિલેશ વસુભાઇ થરેસા (૩૧) અને ભરત અવચર થરેસા (૪૫) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મોરબીના રહેવાથી રોહિત જીવરાજભાઇ ઝાલા નામના ૪૦ વર્ષીય યુવાનને ૧૦૮ વડે ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News