તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE















મોરબીમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા માનસિક બીમાર યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબી લવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા મેરૂપર ગામે રહેતા અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષીય યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ગત તા.૧૧-૭ ના રોજ લાવવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન ગઇકાલ તા.૧૨-૭ ના સાડા છએક વાગ્યાના અરસામાં અરવિંદ કનુભાઈ તડવી નામના ૨૪ વર્ષના યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસને જાણ થતા હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરતા ખૂલ્યું હતું કે, મૃતક અરવિંદ તડવીને માનસિક બીમાર હોય માનસીક અસ્થિરતાને લઈને તેણે કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તા.૧૧ ના રોજ તેને સારવાર માટે મોરબી લવાયો હતો અને ટૂંકી સારવાર બાદ ગઈકાલે તા.૧૨ ના રોજ તેનું મોત નિપજ્યું છે.

યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબીના રાજપર ગામે રહેતો વિજય મગનભાઈ પરસોંડા નામનો ૨૦ વર્ષનો યુવાન શનાળા-રાજપર રોડ ઉપરથી તેનું બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થતાં ગત રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર ઈજાઓને લીધે હાલમાં વિજય પરસોંડાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.લાવડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃધ્ધા સારવારમાં 

હળવદ તાલુકાના ટીકર(રણ) ખાતે રહેતા રૈયાબેન દેવાભાઈ ભરવાડ નામના ૬૧ વર્ષીય વૃદ્ધા ઘાટીલા અને ટીકરની વચ્ચેથી બાઈકના પાછળના ભાગે બેસીને જઇ રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા જમણા પગે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહિંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News