મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચોકડી નજીક કારખાનામાં દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ 


SHARE











મોરબીના પીપળીયા ચોકડી નજીક કારખાનામાં દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ 

મોરબીના નવલખી હાઇવે પીપળીયા ચોકડી પાસે આવેલા કારખાનામાં ભુસામાં ચાલતાં પગ ભાગે દાજી ગયેલી મહિલાને હાલમાં સારવારમાં રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ઈટાલી કંપની નામના યુનિટમાં રહેતા અને મજૂરી કામ કરતાં હંસાબેન મહેશભાઈ જોશી નામની ૪૫ વર્ષીય મહિલા ગત તા.૧૦-૭ ના સવારે સાતેક વાગ્યે કંપનીની અંદર ભુસાના ઢગલામાંથી ચાલીને જતા હતા ત્યારે પગ અને સાથળના ભાગે દાઝી જતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા રાજકોટથી તપાસના કાગળો આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતો રમેશ ભીખાભાઈ પરમાર નામના ૨૭ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ પ્રાથમિક તપાસ કરતા તેમા ખુલ્યુ હતુ કે રમેશ પરમારે કોઈ પાસેથી અમુક રૂપિયા હાથઉછીના લીધા હતા જે પરત આપવાના થતા હતા પણ તેની પાસે પૈસાની સગવડ ન હોય તે બાબતે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોય હાલ તે હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

મહિલા સારવારમાં 

મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં બનેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી વિરલબેન ધર્મેશભાઈ રામાનુજ નામની ૩૮ વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના વેજલપર ગામે રહેતા કાનજીભાઈ રામજીભાઈ ઝીંઝુવાડીયા નામનો યુવાન મોરબીના સામાકાંઠે રામધન આશ્રમ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે કુતરૂ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી કાનજીભાઈ ઝિંઝુવાડીયાને આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News