મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત 


SHARE











મોરબીના રાતાવિરડા ગામે સાપ કરડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત 

મોરબીના વાંકાનેર તાલુકાની હદમાં આવેલા રાતાવિરડા ગામે પેપરમીલ નજીક રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂર યુવાનને ગત મોડી રાત્રીના સાપ કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરીને લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલ દિયાન પેપર મીલ નજીક રહીને મજૂરીકામ કરતા વામ્પુભાઈ ગુડુપ્પાભાઈ એન્ડુકોન્ડાલા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય મજુર યુવાનને ગત રાત્રીના સાપ કરડી ગયો હોવાથી તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને એ ડિવિઝન પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી અને ફોરેન્સિક પીએમ કરવું જરૂરી હોય હાલમાં વામ્પુભાઈ ગુડુપ્પાભાઈ એન્ડુકોન્ડાલા નામના ૪૫ વર્ષીય પરપ્રાંતીય મજૂરના ડેડબોડીને રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ માટે ખસેડાયો છે અને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ મથકના હકાભાઇ ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

માળિયા-મિંયાણાના સોનગઢ ગામે રહેતો ધીરૂભાઈ ચંદુભાઈ વિરડા નામનો ૨૭ વર્ષનો યુવાન માળીયા હાઈવે ઉપર પુલ નજીકથી બાઇક લઇ જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ધીરૂભાઈ વિરડાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા અજય રમેશ થરેશા (૧૮), નિલેશ વસુભાઇ થરેસા (૩૧) અને ભરત અવચર થરેસા (૪૫) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મોરબીના રહેવાથી રોહિત જીવરાજભાઇ ઝાલા નામના ૪૦ વર્ષીય યુવાનને ૧૦૮ વડે ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News