મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચાડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ


SHARE













નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા ખેડૂતોએ અધિકારીઓને આપ્યું અલ્ટિમેટમ

મોરબી જિલ્લામાં માળીયા કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને હાલમાં પાણીની જરૂરિયાત છે ત્યારે કેનાલ તળિયા ઝાટક છે જેથી ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ખેડૂતોએ અધિકારીઓને નર્મદાની માળીયા કેનાલમાં ત્રણ દિવસમાં પાણી પહોચડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ૨૩ મી સુધીમાં પાણી નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે


મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોએ પ્રથમ વરસાદ થતાની સાથે જ પોતાના ખેતરોની અંદર જુદા જુદા પાકની વાવણી કરી નાખી હતી અને ત્યાર બાદ પાણી ન મળવાના કારણે હાલમાં પાક મુરજાઇ રહ્યો છે ત્યારે સિંચાઈનું પાણી મળે તે માટે ૨૧ મી થી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે, નર્મદા નિગમના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને પાણી પહોચડવાની ખાતરી આપી છે જેથી ૨૧ એવ આંદોલન કરવાના બદલે ખેડૂતોએ અધિકારીને ૨૩ મી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ત્યાં સુધીમાં પાણી નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે




Latest News