મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો
Breaking news
Morbi Today

નવલખી બંદરે ટ્રકમાં કોલસો ભરવા બાબતે સુપરવાઇઝરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













નવલખી બંદરે ટ્રકમાં કોલસો ભરવા બાબતે સુપરવાઇઝરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવેલ નવલખી બંદર ખાતે શ્રીજી કંપનીના સુપરવાઇઝર સાથે નવલખી બંદર ઉપરથી ટ્રકમાં કોલસો ભરવા બાબતે બોલાચાલી કરીને તેને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની એક શખ્સે ધમકી આપી હતી ત્યારબાદ શ્રીજી કંપનીની બસ માણસોને મોરબી મુકવા માટે આવી રહી હતી ત્યારે રસ્તામાં બસને રોકાવીને સુપરવાઇઝર રમેશ ક્યાં ગયો તેમ કહીને બસમાં ઘૂસેલા શખ્સે ગાળો બોલી હતી જેથી તેને ગાળો બોલવાની ના પાડતા બસના ચાલકને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં બે શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કરિયા સોસાયટીની બાજુમાં આવેલ ઉમિયા સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ સુલેમાનભાઈ કમોરા જાતે વાઘેર (૪૨) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા રહે. બંને મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે શ્રીજી કંપનીમાં સુપરવાઇઝર તરીકે પરત બજાવતા રમેશભાઈ સાથે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ નવલખી બંદર ઉપરથી ટ્રકમાં કોલસો ભરવા બાબતે બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મોઢા ઉપર લાફા મારીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ફરિયાદી ઈકબાલભાઈ કમોરા શ્રીજી કંપનીની બસમાં શ્રીજી કંપનીના માણસોને બેસાડીને મોરબી મુકવા માટે જતા હતા ત્યારે મયુરસિંહ જાડેજાએ ત્યાં બસની આડે અવરોધો કરીને બસમાં આવીને સુપરવાઇઝર રમેશ ક્યાં ગયો તેમ કહીને ગાળો બોલી હતી ત્યારે ઈકબાલભાઈ કમોરાએ ગાળો બોલવાની ના પાડતા તેને ઢિકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૪૧, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News