મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો
સુરતમાં વિધાર્થીઓ ઉપર હુમલો કરનાર પોલીસને ૨૪ કલાકમાં સસ્પેન્ડ ન કરે તો આંદોલન: મોરબી એબીવીપીની ચિમકી
SHARE
સુરતમાં વિધાર્થીઓ ઉપર હુમલો કરનાર પોલીસને ૨૪ કલાકમાં સસ્પેન્ડ ન કરે તો આંદોલન: મોરબી એબીવીપીની ચિમકી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સુરતની ઘટના બની જેમાં વીર નર્મદ યુનવર્સિટીમાં કુલપતિની મંજુરીથી એક દિવસ ગરબાનું આયોજન થયું હતું જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ હાજર હતા ત્યારે ત્યાં અચાનક પી.આઇ. કિરણ મોદી અને અન્ય પોલીસ કર્મીઓ દારૂના નશામાં આવ્યા હોય તેમ વિધાર્થીઓ તેમજ બહેનોને ગાળો અને અપશબ્દો બોલીને દમનકારી વલણ અપનાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ તેમની સાથે સંવાદ કરવા ગયા તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને મારપીટ કરવામાં આવી હતી. આવી દમનકારી નીતિ અને સુરત પોલીસની ગુંડાગીરી ગૃહમંત્રીના ઘરે જ (સુરત) કરવામાં આવી હતી આ મારપિટમાં સામાન્ય વિદ્યાર્થી ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિર્તિબહેન શાહ ઉપરાંત અન્ય મહાનગરના વિદ્યાર્થી કાર્યકર્તાઓને પણ ગંભીર ઇજા પહોચી છે અને ૪ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને એ.બી.વી.પી. મોરબી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને ૨૪ કલાકમાં જો જવાબદાર પોલીસ કર્મચારીને ડીસમિસ કરવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે