મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રધ્ધાંજલિ આપતો અઘારા પરિવાર
SHARE






મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રધ્ધાંજલિ આપતો અઘારા પરિવાર
સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારાની ૩૦ મી પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજન ના અવસાન બાદ થોડા વર્ષો મા પોતાના જીવન મા વ્યસ્ત થઈ જતી હોય છે તેમજ સ્વજન ગુમાવવા નુ દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબી ના અઘારા પરિવાર દ્વારા ૩૦-૩૦ વર્ષ સુધી પણ સ્વજન ની યાદ મા પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.


