મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત
મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ
SHARE
મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ માર્ચથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેવામાં મોરબી તાલુકાના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્રારા સ્થળ ઉપર જ અરજદારની રજૂઆતનો સ્થળ ઉપર નિકાલ થાય તેમજ સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. મોરબીના બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, સરપંચ હરેશભાઈ મેરજા, પુર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોર્ચાના પુર્વ પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા, રાજુભાઇ દલસાણીયા, વિશાલભાઇ સાદરીયા, તલાટીમંત્રી તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.