મોરબીના શનાળા ગામ પાસે ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લઈને કચડી નાખતા અજાણ્યા યુવાનનું મોત
મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટ બાબતે સમાધાન કરવા માટે ચાર ગોદામ પાસે બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં તેને લોખંડના પાઇપ વડે પગ અને વાસામાં માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-1 માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઈ સુમરા (35) એ હાલમાં આસીફભાઇ હુશેનભાઇ સુમરા, અરબાઝભાઇ હુશેનભાઇ સુમરા અને સલમાબેન હુસેનભાઈ સુમરા રહે.બધા વીસીપરા ચાર ગોદામ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે અગાઉ તેને સલમાબેન સાથે માથાકૂટ થઈ હતી જે બાબતે સમાધાન કરવા માટે આશિફભાઈ અને અરબાઝભાઈએ ફરિયાદીને બોલાવ્યો હતો જેથી તે ચાર ગોદામ પાસે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને પીઠના ભાગે લોખંડના પાઇપ વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી તેમજ બંને પગ ઉપર લોખંડના પાઇપ મારવામાં આવ્યા હતા તથા સલમાબેન દ્વારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇમરાન હનીફભાઈ (35) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
છરી-ધોકા વડે મારમાર્યો
મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે પાણીના ટાંકા નજીક મારામારીનો બનાવ કર્યો હતો જે બનાવમાં પિયુષ બાબુભાઈ કુંવરિયા (40) નામના યુવાનને છરી અને ધોકા વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી