મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાનું બાંધકામ તોડતા સમયે દીવાલ નીચે દટાઈ જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાનું બાંધકામ તોડતા સમયે દીવાલ નીચે દટાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીની બાજુમાં સીરામીક કારખાનાના  બાંધકામને તોડવાનું કામ ચાલતું હતું ત્યારે દિવાલ પડવાથી દટાઈ જવાના કારણે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મૂજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેનસો ચોકડીની બાજુમાં નિધિ માઇક્રોન નામનું કારખાનું આવેલ છે જેના જૂનું બાંધકામ તોડવા માટેનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન અકસ્માતે દિવાલ પડવાથી ચંદન બજરંગી કશ્યપ (૨૧) રહે. હાલ નિધિ માઈક્રોન સીરામીક સરતાનપર રોડ સેન્સો ચોકડીની બાજુમાં મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળો દટાઈ ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જી. ઝાલા દ્વારા કરવામાં આવી છે






Latest News