ટંકારાના સજનપર ગામની શાળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનો કાર્યક્રમ યોજાયો
મોરબી નગરપાલીકાએ સિવિલ કોર્ટમાં સીપીસીઓ-૭, રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવીને રદ કરી
SHARE






મોરબી નગરપાલીકાએ સિવિલ કોર્ટમાં સીપીસીઓ-૭, રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવીને રદ કરી
મોરબીમાં "આલાપ પાર્ક' ના પ્લોટ નંબર-૨૮૮ ચો.મી.૮૮-૭૬ ના ક્ષેત્રફળની જમીનમાં રહેણાંક મકાનનું બાંધકામ કરવા વાદી નિતાબેન રવજીભાઈ પાડલીયાએ પ્રતિવાદી નંબર-૩ મોરબી નગરપાલીકા પાસે ડેવલોપમેન્ટ પરમીશન મેળવી બાંધકામ શરૂ કરતા પ્રતિવાદી નંબર-૧ ઘનશ્યમભાઈ લક્ષ્મણભાઈ ફુલતરીયા તથા પ્રતિવાદી નંબર-૨ અંબારામભાઈ લક્ષ્મણભાઈ ફુલતરીયાએ ખોટી રીતે મોરબી નગરપાલીકામાં બાંધકામ અટકાવવા અરજી કરતા પ્રતિવાદી નંબર-૩ એ વાદીને આપેલ ડેવલોપમેન્ટ પરમીશન રદ કરી નળ કનેકશન કાપેલ અને પ્રતિવાદી નંબર-૪ પીજીવીસીએલ દ્રારા વીજ કનેકશન કાપતા વાદી નિતાબેનએ નામદાર સિવિલ કોર્ટમાં ડેકલેરેશન તથા કાયમી મનાઈ હુકમ મેળવવા રે.દિ.કેશ નં-૭૦/૨૦૨૪ થી દાવો દાખલ કરતા પ્રતિવાદી નંબર-૩ એ સિવિલ કોર્ટમાં સી.પીસીઓ-૭ તથા રૂલ-૧૧(ડી) મુજબ વાદીનો દાવો રદ કરવા અરજી કરી હતી.
પ્રતિવાદી નંબર-૩ એ અરજીમાં જણાવેલ કે વાદીએ મોરબી નગરપાલીકા સામે દાવો માંડતા પહેલા ગુજરાત મ્યુનીસીપાલીટી એકટની કલમ-૨૫૩ હેઠળ પ્રથમ નોટીશ આપવાની હોય પછી ૧-માસ બાદ મોરબી નગરપાલીકા સામે દાવો દાખલ કરવાનો હોય જેથી વાદીએ આ દાવો પ્રતિવાદી નંબર-૩ ને નોટીશ આપ્યા વગર દાખલ કરેલ હોય રદ કરવા અરજી કરેલ.જેથી વાદીના એડવોકેટ એ પ્રતિવાદી નંબર-૩ ની અરજી સામે વાંધા તથા દલીલ રજુ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટના અલગ-અલગ ચુકાદા રજુ રાખેલ જે ધ્યાને લઈ નામદાર સિવિલ કોર્ટે તારણ કાઢેલ કે વાદીને પ્રતિવાદી નંબર-૩ અને અન્ય પ્રતિવાદીઓ સામે હાલનો દાવો કરવાનું કારણ ઉત્પન્ન થયાના છ મહિનાના સમયગાળાની અંદર ૧૬ દિવસમાં જ વાદી દ્વારા હાલનો દાવો કરવામાં આવેલ છે. તે સંજોગોમાં વાદીના હાલના દાવાને ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ-૨૫૩ ની કોઈ જોગવાઈઓનો બાદ નડતો નથી આમ વાદીએ દાવાનું કારણ ઉત્પન્ન થયાના છ મહિનાના સમયગાળાની અંદર ૧૬ દિવસમાં જ પ્રતિવાદી નંબર-૩ મોરબી નગરપાલીકાની સામે દાવો લાવેલ હોય વાદીએ પ્રતિવાદી નં-૩ મોરબી નગરપાલીકાને ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ-૨૫૩ મુજબની કોઈ નોટીસ આપવાની આવશ્યકતા રહેતી નથી.જે કારણસર નામદાર સિવિલ કોર્ટે પ્રતિવાદી નં-૩ ની સી.પી.સી.ઓ-૭, રૂલ-૧૧(ડી) મુજબની અરજી રદ કરવાનો હુકમ કરેલ.આ દાવાના કામે વાદી પક્ષે મોરબીના જાણીતા એડવોકેટ હાર્દિક ડી.ગોસ્વામી, હિરેન ડી.ગોસ્વામી, અશોક એસ.દામાણી તથા વિશાલ પી.ચાવડા રોકાયેલા હતા.અને આ અરજીના કામે વાદી તરફે પ્રોકસી એડવોકેટ તરીકે સિનિયર એડવોકેટ (ધારાશાસ્ત્રી) નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકએ દલીલો કરી હતી.


