જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન


SHARE













વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન

મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પોતાની જાતને સુખમય તથા શક્તિ સંપન્ન બનાવવાનો છે.નિરોગી અને સબળ શરીરના માધ્યમથી આ ઉદ્દેશ્ય પાર પાડી શકાય છે.ગાયત્રી પરિવારના પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યનો નારો છે કે સ્વસ્થ શરીર-સ્વચ્છ મન-સભ્ય સમાજએ અભિયાન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ દ્વારા યોગ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.શિબિરમાં પ્રશિક્ષક તરીકે શ્રી રામસિંહજી યાદવ (યોગાચાર્ય) શાંતિકુંજ હરિદ્વાર માર્ગદર્શન આપશે.તા.૨૪-૫ થી ૩૧-૫ સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે સવારે ૬ થી ૭:૩૦ સુધી અને ગાયત્રી શક્તિપીઠ, સંસ્કાર ભવન હોલ વાંકાનેર ખાતે સાંજે ૬ થી ૭:૩૦ સુધી શિક્ષાવર્ગો ચાલશે.આ શિબિરમાં કોઈ પણ ભાઈ-બહેનો વિના મૂલ્ય ભાગ લઈ શકે છે.દરેક લોકો સાથે આસનપટો, પાણીની બોટલ, નેપકીન તથા નોટ પેન સાથે લાવે તેમ આયોજક શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર અને ગાયત્રી પરિવાર વાંકાનેરએ યાદીમાં જણાવેલ છે.વધુ વિગત માટે અશ્વિનભાઈ રાવલ (મો.૯૮૨૫૧ ૨૦૯૭૮) અથવા રાહુલ જોબનપુત્રા (મો.૯૨૬૫૦ ૬૬૦૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News