માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન


SHARE













વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન

મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પોતાની જાતને સુખમય તથા શક્તિ સંપન્ન બનાવવાનો છે.નિરોગી અને સબળ શરીરના માધ્યમથી આ ઉદ્દેશ્ય પાર પાડી શકાય છે.ગાયત્રી પરિવારના પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યનો નારો છે કે સ્વસ્થ શરીર-સ્વચ્છ મન-સભ્ય સમાજએ અભિયાન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ દ્વારા યોગ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.શિબિરમાં પ્રશિક્ષક તરીકે શ્રી રામસિંહજી યાદવ (યોગાચાર્ય) શાંતિકુંજ હરિદ્વાર માર્ગદર્શન આપશે.તા.૨૪-૫ થી ૩૧-૫ સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે સવારે ૬ થી ૭:૩૦ સુધી અને ગાયત્રી શક્તિપીઠ, સંસ્કાર ભવન હોલ વાંકાનેર ખાતે સાંજે ૬ થી ૭:૩૦ સુધી શિક્ષાવર્ગો ચાલશે.આ શિબિરમાં કોઈ પણ ભાઈ-બહેનો વિના મૂલ્ય ભાગ લઈ શકે છે.દરેક લોકો સાથે આસનપટો, પાણીની બોટલ, નેપકીન તથા નોટ પેન સાથે લાવે તેમ આયોજક શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર અને ગાયત્રી પરિવાર વાંકાનેરએ યાદીમાં જણાવેલ છે.વધુ વિગત માટે અશ્વિનભાઈ રાવલ (મો.૯૮૨૫૧ ૨૦૯૭૮) અથવા રાહુલ જોબનપુત્રા (મો.૯૨૬૫૦ ૬૬૦૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News