મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન


SHARE







વાંકાનેરમાં બે જગ્યાઓએ નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન

મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પોતાની જાતને સુખમય તથા શક્તિ સંપન્ન બનાવવાનો છે.નિરોગી અને સબળ શરીરના માધ્યમથી આ ઉદ્દેશ્ય પાર પાડી શકાય છે.ગાયત્રી પરિવારના પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યનો નારો છે કે સ્વસ્થ શરીર-સ્વચ્છ મન-સભ્ય સમાજએ અભિયાન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ દ્વારા યોગ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.શિબિરમાં પ્રશિક્ષક તરીકે શ્રી રામસિંહજી યાદવ (યોગાચાર્ય) શાંતિકુંજ હરિદ્વાર માર્ગદર્શન આપશે.તા.૨૪-૫ થી ૩૧-૫ સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે સવારે ૬ થી ૭:૩૦ સુધી અને ગાયત્રી શક્તિપીઠ, સંસ્કાર ભવન હોલ વાંકાનેર ખાતે સાંજે ૬ થી ૭:૩૦ સુધી શિક્ષાવર્ગો ચાલશે.આ શિબિરમાં કોઈ પણ ભાઈ-બહેનો વિના મૂલ્ય ભાગ લઈ શકે છે.દરેક લોકો સાથે આસનપટો, પાણીની બોટલ, નેપકીન તથા નોટ પેન સાથે લાવે તેમ આયોજક શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર અને ગાયત્રી પરિવાર વાંકાનેરએ યાદીમાં જણાવેલ છે.વધુ વિગત માટે અશ્વિનભાઈ રાવલ (મો.૯૮૨૫૧ ૨૦૯૭૮) અથવા રાહુલ જોબનપુત્રા (મો.૯૨૬૫૦ ૬૬૦૯૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે




Latest News