મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે વાતો કરતાં ઢળી પડેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના ખાનપર ગામે વાતો કરતાં ઢળી પડેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના ખાનપર ગામે યુવાન વાતો કરતા કરતા બેભાન થઈને ઢળી પડ્યો હતો જેથી કરીને તેને દવાખાને લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને હાર્ટ અટેકથી યુવાનનું મોત થયું હોવાથી જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેર તેમજ ગુજરાત અને ભારતની અંદર છેલ્લા મહિનાથી હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (૨૯) નામનો યુવાન વાતો કરતા કરતા બેભાન થઈને ઢડી પડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ પાસેથી જાણવા મળેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (૩૫) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.એમ. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે






Latest News