મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નાગલપરથી થોરાળા વચ્ચે બે બાઈક સામસામે અથડાયા: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના નાગલપરથી થોરાળા વચ્ચે બે બાઈક સામસામે અથડાયા: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના નાગલપર ગામથી થોરાળા ગામ વચ્ચેના રસ્તા ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા કેશવજીભાઈ રાજાભાઈ પરમાર (૫૦) નામના આધેડ બાઈક લઈને મોરબીના નાગલપર થી થોરાળા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં સામસામે બાઇક અથડાવવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કેશવજીભાઈ તથા મેહુલ હરેશભાઈ જખાણીયા (૧૪)ને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં બંનેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી કેશવજીભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિધિ પાર્કમાં નારાયણ પેલેસ ફ્લેટ નંબર ૩૦૨ માં રહેતા ભાડેજા નરભેરામભાઇ છગનભાઈ (૫૫) નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓનું બાઇક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેમને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News