મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ૯.૬૨ લાખનો મુદામાલની ચોરીની તપાસ ઠેરની ઠેર !?
હળવદમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરી હોવાનું ખૂલ્યું: આપઘાત કરનારા પતિ સામે નોંધાયો ગુનો
SHARE








હળવદમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરી હોવાનું ખૂલ્યું: આપઘાત કરનારા પતિ સામે નોંધાયો ગુનો
મોરબીથી પરિણીતા તેના બહેનના સાસરાની ખબર કાઢવા માટે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયેલ હતી ત્યાં પાછળથી તેનો પતિ પણ આવ્યો હતો અને પત્ની સાથે બોલાચાલી કરીને પત્નીની હત્યા કરી હતી અને પતિ ફરાર થઈ ગયો હતો અને દરમિયાનમાં પત્નીની હત્યા કરનાર ઇસમે પણ તે જ વિસ્તારમાં આવેલ મંદિર પાસે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવમાં મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગરમાં રહેતા મદીનાબેન યુનુસભાઈ બ્લોચ (૩૫) તેની બહેનના સસરાની ખબર કાઢવા માટે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયા હતા.ત્યારે તેનો પતિ યુનુસભાઈ બ્લોચ પણ ત્યાં આવ્યો હતો અને તેણે તેની પત્નીની સાથે બોલચાલી કરી હતી અને ચરિત્ર્યની શંકા રાખીને યુનુસભાઈએ પોતાની પત્નીને ગાળા ઉપર અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ હત્યારો પતિ યુનુસભાઈ બ્લોચ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતક મહિલાના હત્યારા પતિને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી ત્યારે આરોપી પતિ યુનુસભાઈ બ્લોચનો ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ મંદિર પાસેથી આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેના મૃતદેહને પણ પીએમ માટે લઈ ગયા હતા અને પત્નીની હત્યા બાદ પતિના આપઘાતના બનાવમાં હાલમાં મૃતક મહિલાના ભાઈ નિજામભાઇ મહમદભાઈ રફાઇની ફરિયાદ લેવામાં આવી છે અને મૃતક પતિ સામે હત્યાનો ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ યુનુસભાઈના મદિનાબેન સાથે બીજા લગ્ન થયા હતા અને તેના આગળના ત્રણ સંતાનો છે જે ત્રણેયના લગ્ન થઈ ગયા હોવાની માહિતી સામે આવેલ છે.
