મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

હળવદમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરી હોવાનું ખૂલ્યું: આપઘાત કરનારા પતિ સામે નોંધાયો ગુનો


SHARE















હળવદમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીની હત્યા કરી હોવાનું ખૂલ્યું: આપઘાત કરનારા પતિ સામે નોંધાયો ગુનો

મોરબીથી પરિણીતા તેના બહેનના સાસરાની ખબર કાઢવા માટે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયેલ હતી ત્યાં પાછળથી તેનો પતિ પણ આવ્યો હતો અને પત્ની સાથે બોલાચાલી કરીને પત્નીની હત્યા કરી હતી અને પતિ ફરાર થઈ ગયો હતો અને દરમિયાનમાં પત્નીની હત્યા કરનાર ઇસમે પણ તે જ વિસ્તારમાં આવેલ મંદિર પાસે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવમાં મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગરમાં રહેતા મદીનાબેન યુનુસભાઈ બ્લોચ (૩૫) તેની બહેનના સસરાની ખબર કાઢવા માટે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ગયા હતા.ત્યારે તેનો પતિ યુનુસભાઈ બ્લોચ પણ ત્યાં આવ્યો હતો અને તેણે તેની પત્નીની સાથે બોલચાલી કરી હતી અને ચરિત્ર્યની શંકા રાખીને યુનુસભાઈએ પોતાની પત્નીને ગાળા ઉપર અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ હત્યારો પતિ યુનુસભાઈ બ્લોચ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતક મહિલાના હત્યારા પતિને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી ત્યારે આરોપી પતિ યુનુસભાઈ બ્લોચનો ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ મંદિર પાસેથી આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેના મૃતદેહને પણ પીએમ માટે લઈ ગયા હતા અને પત્નીની હત્યા બાદ પતિના આપઘાતના બનાવમાં હાલમાં મૃતક મહિલાના ભાઈ નિજામભાઇ મહમદભાઈ રફાઇની ફરિયાદ લેવામાં આવી છે અને મૃતક પતિ સામે હત્યાનો ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ યુનુસભાઈના મદિનાબેન સાથે બીજા લગ્ન થયા હતા અને તેના આગળના ત્રણ સંતાનો છે જે ત્રણેયના લગ્ન થઈ ગયા હોવાની માહિતી સામે આવેલ છે.






Latest News