મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને હડફેટ લઇને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને હડફેટ લઇને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નિપજ્યુ હતુ જોકે એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ રહેતા સગરામભાઇ ઉર્ફે નંદાભાઇ જગજીવનભાઈ ઉઘરેજા જાતે કોળી (૫૬) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટ્રક નંબર જીજે ૩૨ ટી ૮૩૯૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાથી આગળ નેશનલ હાઇવે રોડ ઉપર શ્રીજી મોટર સામેથી તેનો દીકરો અમરશીભાઈ સગરામભાઇ ઉઘરેજા (૨૭) તેનું બાઈક નંબર જીડે ૩ એફકયુ ૮૯૩૦ લઈને તેના મિત્ર વિજય વસંતભાઈ દલસાણીયા રહે નવાપરા વાંકાનેર વાળાને સાથે બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના દીકરાને બંને પગના સાથળના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને વિજયભાઈ ને શરીરે ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાંથી સારવાર માટે તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ કલોલા જાતે વાણંદ (૪૧) એ કાર નંબર જીજે ૧૩ સીસી ૦૬૧૫ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે નજીકથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૫૧૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં સાહેદ કુસુમબેન રસ્તા ઉપર નીચે પડી જતા તેને જમણા પગમાં ફ્રેકચર જેવી ઈજા થયેલ છે જેથી કરીને તેને સારવાર માટે તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News