મોરબી જીલ્લામાં ૧૨ વર્ષમાં ૩૧,૨૪૫ મહિલાઓ માટે ૧૮૧ અભયમ ની સેવા બની આશીર્વાદ કચ્છથી પાયલોટિંગ સાથે રાજકોટ બાજુ કતલખાને લઈ જવાતા 17 પાડાને ગૌરક્ષકોએ મોરબીની દલવાડી ચોકડી પાસેથી બચાવ્યા મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે સર્વરોગ  આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ


SHARE













મોરબીમાં શનિવારે સર્વરોગ  આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ

નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તા.૧૩-૭ ને શનિવારે સમય સલારે ૯ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુષ્માન આરોગ્ય મંદિર,  પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ, કામધેનુ પાર્ટી પ્લોટની પાછળ, મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન  કરવામાં આવેલ છે.આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયેલ છે.

 

કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) અને વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) સેવા આપશે.કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર વિનામૂલ્યે મળી રહેશે.આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ થશે.હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર,ખીલ,કાળા  ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા  જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવશે.






Latest News