લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE

















વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભવનભાઈ ઘોઘાભાઈ રાઠોડ જાતે કોળી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મચ્છુ-1 ડેમના પાણીમાં કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજયું છે જેથી કરીને પોલીસ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે તેવી વિગતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલ છે અને આ બનાવાની વધુ તપાસ એ.આરબેરાણી ચલાવી રહ્યા છે.




Latest News