ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE

















વાંકાનેર નજીક મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ-1 ડેમના પાણીમાં ડૂબી જવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભવનભાઈ ઘોઘાભાઈ રાઠોડ જાતે કોળી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મચ્છુ-1 ડેમના પાણીમાં કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજયું છે જેથી કરીને પોલીસ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે તેવી વિગતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલ છે અને આ બનાવાની વધુ તપાસ એ.આરબેરાણી ચલાવી રહ્યા છે.






Latest News