મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારાના ગણેશપુર ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ કમલ ફળિયુ વિસ્તારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રૂપસિંહ મોહનિયા જાતે અનુ. જન જાતિ (25) ગણેશપર ગામની સીમમાં આવેલ ડેરીવાળું તળાવ તરીકે જાણીતા તળાવમાં કોઈપણ કારણોસર પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા રૂપસિંગભાઈ મડિયાભાઈ મોહનિયા (46) રહે. હાલ વાઘોડિયા રસિકભાઈ પટેલની વાડીએ તાલુકો કાલાવડ વાળાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News