મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારાના ગણેશપુર ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ કમલ ફળિયુ વિસ્તારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રૂપસિંહ મોહનિયા જાતે અનુ. જન જાતિ (25) ગણેશપર ગામની સીમમાં આવેલ ડેરીવાળું તળાવ તરીકે જાણીતા તળાવમાં કોઈપણ કારણોસર પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા રૂપસિંગભાઈ મડિયાભાઈ મોહનિયા (46) રહે. હાલ વાઘોડિયા રસિકભાઈ પટેલની વાડીએ તાલુકો કાલાવડ વાળાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News