ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE















ટંકારાના ગણેશપુર ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારાના ગણેશપુર ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ કમલ ફળિયુ વિસ્તારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રૂપસિંહ મોહનિયા જાતે અનુ. જન જાતિ (25) ગણેશપર ગામની સીમમાં આવેલ ડેરીવાળું તળાવ તરીકે જાણીતા તળાવમાં કોઈપણ કારણોસર પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા રૂપસિંગભાઈ મડિયાભાઈ મોહનિયા (46) રહે. હાલ વાઘોડિયા રસિકભાઈ પટેલની વાડીએ તાલુકો કાલાવડ વાળાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News