મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પુસ્તક પરબમાં નવા પુસ્તકોની ખરીદી માટે રૂા.15 હજારનું દાન


SHARE

















વાંકાનેરનાં પુસ્તક પરબમાં નવા પુસ્તકોની ખરીદી માટે રૂા.15 હજારનું દાન

વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા નિ:શુલ્ક પુસ્તક પરબ વર્ષ- 2018 થી ચાલી રહ્યું છે. જેનો લાભ સમગ્ર તાલુકાના લોકોને મળી રહ્યો છે.

પુસ્તક પરબમાં નવા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે વિવિધ દાતાઓ તરફથી રોકડ રકમ સ્વરૂપે કુલ 15000 રૂપિયાનું દાન મળ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા તરફથી 2500 રૂપિયા, ડોકટર બાદી તરફથી 2500 રૂપિયા, અમીતભાઈ દેલવાડીયા તરફથી 2500 રૂપિયા તેમજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગીરી ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડો. ડાહ્યાલાલ પરબતાણી તરફથી 7500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. આમ પુસ્તક પરબ વાંકાનેરને કુલ 15000 રૂપિયાનું દાન મળેલ છે.

આ તમામ રૂપિયા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે પુસ્તક પરબને દાન મળેલ છે. દાન બદલ સર્વદાતાઓનો પુસ્તક પરબની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફલેઈસ ગ્રેનિટો મોરબી તરફથી પુસ્તક પરબની ટીમના તમામ સભ્યોને ટી-શર્ટ ભેટમાં આપેલ છે.
આ કાર્ય પુસ્તક પરબની ટીમ જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડો. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિ:શુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે.




Latest News