મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા ૨૪ ના રોજ સવારે ૦૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું- ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી- વાલાસણ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સરવડ  તથા તા. ૨૬ ના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ- મોરબી ખાતે આયુર્વેદ- હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિદાન સારવાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ અને યોગનું મહત્વ તથા યોગ અભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપતા ચાટ પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવીણ વડાવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News