મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના બાળકોનો સર્વે કરાશે
મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે
SHARE
મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે
મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા '૯ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા ૨૪ ના રોજ સવારે ૦૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન હળવદ તાલુકામાં સરકારી દવાખાનું- ચરાડવા, વાંકાનેર તાલુકામાં સેવા સહકારી મંડળી- વાલાસણ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સરવડ તથા તા. ૨૬ ના રોજ મોરબી તાલુકામાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ- મોરબી ખાતે આયુર્વેદ- હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિદાન સારવાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ અને યોગનું મહત્વ તથા યોગ અભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપતા ચાટ પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવીણ વડાવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.