મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના બાળકોનો સર્વે કરાશે


SHARE















મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના બાળકોનો સર્વે કરાશે

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના ૬ થી ૧૯ વર્ષના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે અને આવા બાળકોની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children) અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા (Children with Special Need) બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. આ માટે મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ તા.૭/૧૧ થી ૧૬/૧૧ સુધી સર્વે હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષા દ્વારા અપીલ કરવામાં આવી છે. આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો નજીકની સરકારી શાળામાં,કલસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

મોરબીમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાશે

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૧૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીના મધ્યસ્થ સભાખંડમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળો યાત્રાધામના વિકાસની અને આગામી વિકાસ કાર્યોની સમિતિના સભ્યો સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવશે. તેમ સભ્ય સચિવ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News