મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ યોજાશે
મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત
SHARE
મોરબી જિલ્લાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વળતર ચૂકવવા કૃષિ મંત્રીને રજૂઆત
મોરબી જિલ્લામા અતિવૃષ્ટિ અને પાછોતરાં વરસાદના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે અને મોટું નુકશાન થયેલ છે ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા માટે મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર મારફતે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે મોટું આર્થિક નુકસાન થયું છે. અને પાક નિષ્ફળ ગયેલ છે તેમજ પાછોતરાં વરસાદથી પણ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઇ ગયેલ છે જેથી કરીને મોરબી જિલ્લામાં મગફળી અને કપાસને મોટું અને ઘણા ખેડૂતોને તો પાક નિષ્ફળ ગયો છે. જેથી કરીને દિવાળીએ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવેલ છે.