મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર વાંકાનેરના તિથવા ગામે રહેતા બાળકને જન્મજાત બધિરતાની તકલીફ હોય સરકારી નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન મોરબીના જેપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબીમાં બનશે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી


SHARE





વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી

19 ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)નો જન્મદિવસ, જેમણે આખું વિશ્ર્વ મનુષ્ય ગૌરવદિન તરીકે હર્ષોઉલ્લાસથી ઉજવે છે. આ વૈશ્ર્વિક મહાપુરૂષે ત્રિકાળ સંધ્યાના મહામંત્રથી લાખો માનવ જીવન બદલાવ્યા છે. માનવ્યને ખરા અર્થમાં હ્વદયસ્થ ભગવાનની સમજણ આપીને મનુષ્યનું ગૌરવ નિર્માણ કર્યુ છે.

આ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવા હજારો સ્વાધ્યાયીઓએ છ દિવસ ગામડે ગામડે પોતાનો ટાઈમ, ટિફિન, અને ટિકિટ લઈને ભકિત ફેરીના માધ્યમથી હજારો ગામડાઓમાં હ્વદયસ્થ ભગવાનનો વિચાર લઈને જવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતના આવા કળી કાળમાં નિ:સ્વાર્થ ભાવે માણસને સહજ મળવા જવું એક વિશ્ર્વની અજાયબી છે.

વાંકાનેર તાલુકામાં દેવી પુજક વિસ્તારમાં પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મંત્રમુગ્ધ બની જાય તેવી બાળકોની ભાવવંદના અને અંતમાં હજારો મીણબત્તીનો નજારો, જેમાં મનુષ્ય ગૌરવની પાંડુરંગી જયોત પ્રગટતી હતી. 




Latest News