મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશશોત્સવ યોજાયો મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી


SHARE















વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી

19 ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)નો જન્મદિવસ, જેમણે આખું વિશ્ર્વ મનુષ્ય ગૌરવદિન તરીકે હર્ષોઉલ્લાસથી ઉજવે છે. આ વૈશ્ર્વિક મહાપુરૂષે ત્રિકાળ સંધ્યાના મહામંત્રથી લાખો માનવ જીવન બદલાવ્યા છે. માનવ્યને ખરા અર્થમાં હ્વદયસ્થ ભગવાનની સમજણ આપીને મનુષ્યનું ગૌરવ નિર્માણ કર્યુ છે.

આ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવા હજારો સ્વાધ્યાયીઓએ છ દિવસ ગામડે ગામડે પોતાનો ટાઈમ, ટિફિન, અને ટિકિટ લઈને ભકિત ફેરીના માધ્યમથી હજારો ગામડાઓમાં હ્વદયસ્થ ભગવાનનો વિચાર લઈને જવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતના આવા કળી કાળમાં નિ:સ્વાર્થ ભાવે માણસને સહજ મળવા જવું એક વિશ્ર્વની અજાયબી છે.

વાંકાનેર તાલુકામાં દેવી પુજક વિસ્તારમાં પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મંત્રમુગ્ધ બની જાય તેવી બાળકોની ભાવવંદના અને અંતમાં હજારો મીણબત્તીનો નજારો, જેમાં મનુષ્ય ગૌરવની પાંડુરંગી જયોત પ્રગટતી હતી. 






Latest News