મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળામાં છોકરા બાબતે કહેવા ગયેલા મહિલાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો


SHARE











હળવદના ઇંગોરાળામાં છોકરા બાબતે કહેવા ગયેલા મહિલાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી મહિલા છોકરા બાબતે કહેવા માટે થઈને ગઈ હતી ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ તે મહિલાને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા શીતલબેન હસમુખભાઈ પરમાર (28)એ હરદીપસિંહ કિરીટસિંહ ઝાલા, બ્રીજરાજસિંહ કિરીટસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલાના પત્ની અને બ્રિજરાજસિંહ ઝાલાના પત્ની રહે. બધા ઇંગોરાળા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ આરોપીઓને તેના નાના નાના છોકરા બાબતે કહેવા માટે ગયા હતા ત્યારે ફરિયાદીને આરોપીઓએ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના સુરવદર ગામે ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં નિર્મલાબેન સુરેશભાઈ ગડેશિયા (22)ને ઇજા થયો હોવાથી ઇજા પામેલ મહિલાને પ્રથમ હળવદને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ગાડી પલટી મારી જતાં બે ને ઇજા

જોડિયા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે ગાડી પલટી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમદાવાદના નરોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મનોજ શંકરભાઈ ગામેતી (36) અને મૂળ યુપીના રહેવાસી નંદરામ માનસિંગ (58) નામના બે વ્યક્તિઓને ઇજા થવાથી ઇજા પામેલા બેનને વ્યક્તિને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપોમે આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News