મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ


SHARE

















મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેના માટે જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે ત્યારે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે

મોરબીમાં પાંજરાપોળ આવેલ છે જેમાં અંધ, અપંગ, નિરાધાર, પશુને રાખવામા આવે છે અને તેનો નિભાવ કરવામાં આવે છે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં ૫૩૨૦ પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને ઉદ્યોગકારો સહિતના લોકો તરફથી કુલ નહિ તો ફુલની પાંખડી સમાન દાન આપવામાં આવે છે ત્યારે કાલે મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે લોકોને મોરબી પાંજરાપોળમાં દાન આપવા માટે અપીલ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં જુદી-જુદી ૩૮ જગ્યાએ સ્ટોલ રાખવામા આવેલ છે ત્યાં જઈને લોકો દાન આપી શકે છે. અને વધુમાં મોરબી પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યુ હતું કે, મોરબીના લોકો પાસેથી જ દાન લઈને પાંજરાપોળનો વહીવટ કરવામાં આવે છે બીજા શહેરમાં ફાળો કે દાન લેવા માટે કોઈ જતું નથી. 




Latest News