માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકાએ હટાવેલા લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવાની કોંગ્રેસે કરી માંગ: ૧૫ દિવસનું અલ્ટીમેટમ


SHARE











મોરબીમાં મહાપાલિકાએ હટાવેલા લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવાની કોંગ્રેસે કરી માંગ: ૧૫ દિવસનું અલ્ટીમેટમ

મોરબી શહેરના શનાળા રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ રોડ રસ્તાની સાઈડમાં ઉભેલા લારી ગલ્લા વાળાઓને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા છે. ત્યારે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ લારી ગલ્લા વાળાઓને સાથે રાખીને મહાપાલિકામાંથી તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો ૧૫ દિવસમાં કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો કોંગ્રેસ નાના વેપારીઓને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

મોરબી શહેરનો એક પણ રસ્તો દબાણ મુક્ત હોય તેવું અગાઉ ન હતું પરંતુ છેલ્લા ૩૦ દિવસની અંદર મહાપાલિકા અસ્તિત્વમાં આવતાની સાથે જ કમિશનર દ્વારા ટ્રાફિક, ગંદકી સહિતના પ્રશ્નોને દૂર કરવા માટે થઈને રોડ રસ્તાની બંને સાઈડમાં જે નાના મોટા કાચા પાકા દબાણો હતા તે દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે છેલ્લા દિવસમાં શનાળા રોડ, વાવડી રોડ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર રોડ અને મહેન્દ્રનગર મેઇન રોડ ઉપરથી દબાણોને હટાવવામાં આવ્યા છે જોકે જે જગ્યાએથી દબાણ હટાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક લારી ગલ્લા વાળાઓને અગાઉ નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા આડેધડ કરેલા સર્વે ના લીધે સરકારી લોન અને અન્ય સરકારી યોજનાઓના કાર્ડ આપવામાં આવ્યા હતા પરંતુ હાલમાં તેઓના ધંધા બંધ થઈ ગયા હોવાથી લોનના હપ્તા ભરવાને ઘર ચલાવવા મુશ્કેલ બની ગયા છે ત્યારે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોરબીના સનાળા રોડ ઉપરથી જે લોકોના લારી, ગલ્લા સહિતના દબાણ હટાવવામાં આવ્યા છે તેમને સાથે રાખીને મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાને રજૂઆત કરીને જે લોકોના દબાણ હટાવવામાં આવ્યા છે તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને 15 દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવું અલ્ટીમેટમ આપ્યું છે નહીં તો કોંગ્રેસ દ્વારા લારી ગલ્લા વાળા સહિતના નાના વેપારીઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિચારવામાં આવી છે.






Latest News