મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયું


SHARE







વાંકાનેરના કાછીયાગાળા ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયું

વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) કાછીયાગાળા ખાતે  દિલ્લીની નેશનલ લેવલ ટીમ દ્વારા નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે ગત તા. 12/03/2025 ના રોજ આવી હતી અને સેન્ટરની મુલાકાત લીધી હતી અને ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી કરી હતી.

નેશનલ લેવલથી નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાયએ માટે જિલ્લાની ટીમ જિલ્લા ડો. હાર્દિક રંગપરિયા, ડૉ. આરીફ શેરસિયા અને પ્રા.આ.કેન્દ્ર ના આયુષ મેડિકલ ઓફિસર ડો. મનસુખ બોચિયાના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મુલાકાતે આવેલ ટીમે આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાને 88.00 %+  રેન્કીંગ આપેલ હતું. આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાના નેશનલ કવાલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ માટે સર્ટિફાઈડ થાય એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ મકવાણા, ફિમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી, મેલ હેલ્થ વર્કર પ્રતિપાલ પરમાર  અને પ્રા.આ.કેન્દ્ર દલડીના મેડિકલ ઓફિસર ડો. સાયના અન્સારી અને દલડી આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ દ્વાર ખૂબજ જહેમત ઉઠાવી હતી તેમજ મુલાકાતી ટીમ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News