મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ
SHARE
મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ
મોરબી શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કર્તા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કડક કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે અને મનપાની ફૂડ શાખા દ્વારા ૧૬ વેપારીઓને નોટિસ આપીને જુદીજુદી જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો
મોરબીમાં તાજેતરમાં ફૂડસેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કુલ ૨૭ એકમોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૬ ખાદ્યપદાર્થનાં વેપારીને નોટીસ આપવામાં આવી હતી અને તે ઉપરાંત વાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડમાંથી હાઈજીન મેઈનટેન ન કરવા બાબત તથા વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરાયો તથા વાસી બટરનો નાશ કરાયો હતો તેમજ મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ કેમેલી હોટેલમાંથી વધુ પડતો ફૂડ કલર મળતા તેનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો અને એક્સપાયરી ડેટ જતી રહી હોઈ તેવા ખાદ્ય પદાર્થ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. તેવી માહિતી અધિકારી આપેલ છે.