મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

સરેન્દ્રનગરથી રાજકોટ જતી માલગાડીનો અકસ્માત: વાંકાનેર નજીક ધમાલ પર ફાટક પાસે માલગાડી ટ્રેન પાટા પરથી ખડી પડી


SHARE











વાંકાનેરના ધમલપર ગામની રેલ્વે ફાટક નજીકથી આજરોજ મંગળવારે બપોરે 4:15 વાગ્યાની આસપાસ એક માલગાડી ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે તે માલગાડી અચાનક પાટા પરથી ખડી પડી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બનાવની તાત્કાલિક રેલ્વેના જવાબદાર અધિકારીઓને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને માલગાડીના ખડી પડેલા ડબ્બાને રીપેર કરીને રેલવે લાઇન ક્લિયર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે.

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન બાજુથી વાંકાનેર થઈને રાજકોટ રેલવે સ્ટેશન બાજુ 40 ડબ્બા વાળી માલગાડી પસાર થઈ રહી હતી દરમિયાન વાંકાનેરમાં આવેલ ધમલપર ફાટક નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી આજે મંગળવારે બપોરના 4:15 વાગ્યાના અઅરસામાં તે માલગાડી પહોંચી હતી ત્યારે માલગાડી ટ્રેનનો એક ડબ્બો અચાનક કોઇ કારણોસર પાટા પરથી ઉતરી જતા ટ્રેનના બેથી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. હાલ બનાવની જાણ થતા રેલ્વે વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને રેલવે ટ્રેક ઉપર થી માલગાડીના જે ડબ્બા ખડી પડ્યા છે તેને રીપેર કરવા માટેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે અને વાંકાનેર રેલવે સ્ટેશનના માસ્તર ધર્મેન્દ્રકુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અડધાથી એક કલાકમાં આ માલગાડીના ડબ્બા રીપેર થઈ જશે અને તે ગાડી આગળ રવાના કરવામાં આવશે અને હાલમાં આ અકસ્માતના કારણે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતી કોઈ ટ્રેન પ્રભાવિત થયેલ નથી






Latest News