મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોર્ટની લોબીમાં ઝઘડો-બખેડો કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં કોર્ટની લોબીમાં ઝઘડો-બખેડો કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં આવેલ કોર્ટમાં બહાર લોબીમાં બે શખ્સ દ્વારા ઝઘડો કરીને કોર્ટની કાર્યવાહીમાં ખલેલ કરવામાં આવતી હતી અને બખેડો કરવામાં આવ્યો હતો જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ કોર્ટમાં પહેલા માળે કોર્ટ રૂમની બહારના ભાગમાં લોબીમાં બહાદુરનાથ સુરમનાથ પરમાર (30) રહે. મોટા ભોજપરા વાદી વસાહત વાંકાનેર અને જોગનાથ દાદુનાથ બામણીયા (36) રહે. મોટા ભોજપરા વાદી વસાહત વાંકાનેર વાળા એકબીજા સાથે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા અને કોર્ટ કાર્યવાહીમાં ખલેલ કરતા હતા જેથી કરીને કોર્ટ બિલ્ડીંગની લોબીમાં બખેડો કરનારા આ બંને શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 194 (2) મુજબ ગુનો નોંધીને પોલીસે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

કામ દરમિયાન ઈજા

વાંકાનેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા ચેતનભાઇ રમેશભાઈ સાદરીયા નામનો ૨૯ વર્ષનો યુવાન બંધુનગર ગામે આવેલ સીતારામ પેકેજીંગમાં કામ કરતો હતો.તે દરમિયાન તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલએ લઇ જવાયો હતો.તેમજ મોરબીના બેલા ગામે રહેતા રમેશભાઈ મગનભાઈ અઘારા નામના ૫૨ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા તે સમયે પીપળી ગામ પાસે વાહન અસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યારે નવા જાંબુડીયા ગામે રહેતા મુન્નાભાઈ વીરજીભાઈ દલસાણીયા નામના ત્રીસ વર્ષીય યુવાનને નવા જાબુંડિયા ગામે આવેલ શોપિંગ સેન્ટર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News