ટંકારાના ઘુનડા (સ.) નજીક ત્યજી દેવાયેલ બાળકના માતા-પિતા નક્કી કરવા માટે DNA સેમ્પલ લેવાયા: દંપતી જમીન મુક્ત-બાળક રાજકોટની સંસ્થામાં મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત ! મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજાઇ લાલચ-ધમકી આપીને લીધા અંગૂઠાના નિશાન: મોરબીના 602 જમીન કૌભાંડમાં મહિલા આરોપીએ  હાઇકોર્ટમા કર્યું સ્ફોટક સોગંદનામું આયુષ હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સર્જરી વડે સફળ સારવાર મોરબીમાં નવો ડી.પી, બાંધકામ મંજૂરી સહિતના પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સના હોદેદારોએ ધારાસભ્યની આગેવાનીમાં સીએમને કરી રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો


SHARE















વાંકાનેરના ગાંગીયાવદર અને મોરબીમાં જવાહર હનુમાનજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુમાં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના જવાહર હનુમાનજી મંદિર (ભડિયાદ કાંટે)- નજરબાગ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું અને જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૭ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ભાવનાબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા,સગર્ભામાતા,બાળક અને પરીવાર ને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (સુખડી મગ અને કિવી) વિતરણ કરવામાં આવ્યું હતું






Latest News