મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું
મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ
SHARE
મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ છે તે ખૂબ જ સારી બાબત છે તેમજ મોરબી શહેરને સ્વચ્છ રાખવા મહા નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ કામગીરી પણ કરવામાં આવી રહી છે તેમજ જાહેર જનતાની પણ ફરજ આવે છે કે આપના આ "સ્વચ્છ મોરબી"ના અભિયાનમાં સહભાગી બને પણ કમિશનર દ્વારા મૂકવામાં આવેલા સફાઈ કામદારો જે હંગામી ધોરણે છે તેમને કાયમી કરવા તેમજ જ્યાં જરૂર છે ત્યાં બીજા નવા સફાઈ કામદારોની નિમણૂક કરવી જેથી કરી મોરબી શહેરના જે છેવાડાના વિસ્તાર છે ત્યાં સફાઈ અભિયાનમાં સરળતા રહે અને મોરબીને સ્વચ્છ મોરબી બનાવવાનું સ્વપ્નું સાકાર થાય.તેથી નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.