મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ? વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ ટંકારાના ઘુનડા (સ.) નજીક ત્યજી દેવાયેલ બાળકના માતા-પિતા નક્કી કરવા માટે DNA સેમ્પલ લેવાયા: દંપતી જમીન મુક્ત-બાળક રાજકોટની સંસ્થામાં મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત !
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું


SHARE















મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું
વિવિઘ પ્રસિઘ્ઘ અખબારો અને ડીઝીટલ મીડીયા દ્વારા મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રઘ્ઘા પાર્ક અને યમુના
નગર નજીક આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનમાં સરકારી અનાજનો અખાઘ્ય જથ્થો આગ લાગેલ કચરાના ઢગલામાં મળી
આવ્યાબાબતના સમાચાર છે. આગ ઓલવવાની ઘટના સમયે સ્થળ પર જીલ્લા પુરવઠા અઘિકારી, મામલતદારશ્રી મોરબી શહેર
તથા નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-૨ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ છે. આ જથ્થાના પેકીંગ પર જથ્થો ૨૦૧૯ ના વર્ષનું
હોવાનું ઘ્યાને આવેલ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી જથ્થો જણાતા આ બાબતની વિવિઘ ટીમો બનાવી તુરંત ઊંડાણ પૂર્વક તપાસ
કરતા ઘટના સ્થળેથી આશરે ૨ કીલોમીટર દૂર એક પ્રાઇવેટ ગોડાઉન માંથી જથ્થો આવેલ હોવાનું મળી આવેલ હતું. જે બાબતે
ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવેલ છે.સદર જથ્થો વર્ષ-૨૦૧૯/૨૦ માં
આવેલ અતિ વરસાદથી પલળી અખાઘ્ય થયેલ હતો. જેનો નિકાલ કરવા માટે સરકારશ્રીની નિયત પ્રક્રિયા હાથ ઘરી૯૭૩.૭
કિ.વી. જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગર દ્વારાખરીદવામાં આવેલ હતો. સદર પેઢીના વહીવટ કર્તા નજમાબેન આદિલભાઇ
માંડવીયા તથા આદિલભાઇ રફીકભાઇ માંડવીયા એ જથ્થો અત્રેથી મેળવી લીઘેલ હતો. ત્યારબાદ આદિલભાઇ રફીકભાઇ
માંડવીયાનું ડિસેમ્બર-૨૦૨૦ માં અવશાન થયેલ. જેથી સદર જથ્થો સંબંઘિત તેમજ ગોડાઉન ખાતે પડી રહેલ હતો.
તાજેતરમાં સદર પેઢીના વહિવટ કર્તાનાઆદિલભાઇ રફીકભાઇ માંડવીયાના ભાઇ રઉફભાઇ રફીકભાઇ માંડવીયા ગોડાઉન
ખાલી કરવા માટે સદર અનાજના જથ્થો ટ્રેકટરોથી નિકાલ કરવા અર્થે યમુનાનગર ખાતે આવેલ સ્મશાનમાં તથા અમરેલી ગામ
પાસે ડમ્પ કરાવેલ તેમજ તેઓના ગોડાઉન પર જથ્થો પડી રહેલ. જે તે સમયે જથ્થો ખરીદનારે આ જથ્થો ખાતરમાં ઉપયોગ
કરવાની બાંહેઘરી આપેલ છે. જેથીવિનય એગ્રી ટ્રેડના હાલના વહિવટદારને આ જથ્થો સરકારી તંત્રના સંકલનમાં રહી યોગ્ય
પઘ્ઘતી થી સત્વરે નાશ કરવા તાકીદ આપવામાં આવેલ છે. તેમજ જો આ જથ્થો અન્ય જગ્યાએ હોય તો તે પણ તેને યોગ્ય
રીતે નીકાલ કરવા જણાવેલ છે તેવું મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડિયા દ્વારા રદીયામાં જણાવાયું છે.

------------------------------------------------------------
From :
Himanshu Bhatt (Press Reporter)
Sanj Samachar
MORBI.
Mo. 96620 38298






Latest News