ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાંથી 1.27 લાખના પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી વેપારીને ન પહોચાડી વિશ્વાસઘાત કરનારા આઇસર ચાલકની ધરપકડ


SHARE













ટંકારા તાલુકામાંથી 1.27 લાખના પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી વેપારીને ન પહોચાડી વિશ્વાસઘાત કરનારા આઇસર ચાલકની ધરપકડ

ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ એવન પ્લાસ્ટિક નામના કારખાનામાંથી પ્લાસ્ટિકની ખુરશી તથા ટેબલનો માલ આઇસર વાહનમાં ભરીને રાજપીપળાના વેપારીને 1,27,525 રૂપિયાની કિંમતના માલ મોકલવામાં આવ્યો હતો જો કે, આઇસર વાહનના ચાલકે તે માલ વેપારી સુધી ન પહોંચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કર્યો છે જેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી ખુરશીઓ સહિતનો મુદામાલ કબજે કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ સીટી મોલની પાછળ નીલકંઠ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા વિનોદભાઈ મહાદેવભાઇ સોરીયા (46)એ આઇસર નંબર જીજે 14 એક્સ 8201 ના ચાલક અરજણભાઈ ફાતાભાઇ બારીયા રહે. પઠારા જીલ્લો મહીસાગર વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, લજાઈ ગામ નજીક એવન પ્લાસ્ટિક નામનું ફરિયાદી તથા સાહેદનું કારખાનું આવેલ છે જેમાંથી રાજપીપળાના વેપારીને ઓર્ડર મુજબ પ્લાસ્ટિકની 1085 ખુરશીઓ તથા 16 સેન્ટર ટેબલ જેની કુલ કિંમત 1,27,525 રૂપિયા થાય છે તે આઇસરના ચાલકે કારખાનેથી પોતાના વાહનમાં માલ ભર્યો હતો અને ત્યારે બાદ રાજપીપળા ખાતે વેપારીને તે માલ ન પહોંચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલ કારખાનેદાર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી અરજણભાઈ ફાતાભાઇ બારીયા (33) રહે. પઠારા જીલ્લો મહીસાગર વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News