મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે


SHARE

















આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે

મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત તથા ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણની યાદી જણાવે છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન મુ.ટાટમ, તા.ગઢડા, જી.બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે, તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્ર ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.  આ વર્ગ માં મોરબી જીલ્લા માંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત મો.૯૪૨૯૪ ૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ મો.૮૯૦૫૧ ૨૩૪૫૧ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના શહેરનાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી મો.૮૭૫૮૧ ૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧ પર સંપર્ક કરવો. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવા માં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત નો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવો.




Latest News