મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો મોરબીના રફાળેશ્વર પાસે મેળાના મેદાન નજીક યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો વાંકાનેરની અમરસર ફાટકે બાઇક લઈને ઉભેલા આધેડના પગના પંજા ઉપરથી ક્રેન ચાલકે ટાયર ફેરવી દીધું
Breaking news
Morbi Today

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે


SHARE













આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે

મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત તથા ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણની યાદી જણાવે છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન મુ.ટાટમ, તા.ગઢડા, જી.બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે, તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્ર ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.  આ વર્ગ માં મોરબી જીલ્લા માંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત મો.૯૪૨૯૪ ૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ મો.૮૯૦૫૧ ૨૩૪૫૧ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના શહેરનાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી મો.૮૭૫૮૧ ૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧ પર સંપર્ક કરવો. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવા માં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત નો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવો.








Latest News