મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે


SHARE











આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જીલ્લાના યુવાનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે

મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત તથા ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણની યાદી જણાવે છે કે આગામી તા.૧૩-૫ થી ૧૮-૫ દરમિયાન મુ.ટાટમ, તા.ગઢડા, જી.બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં કરાટે, રાયફલ શુટીંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમત સમતા જેવા શારિરીક કાર્યક્રમ તથા બૌધ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે, તે ઉપરાંત પ્રાંત, પ્રદેશ તેમજ કેન્દ્ર ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.  આ વર્ગ માં મોરબી જીલ્લા માંથી જોડાવવા ઈચ્છુક ભાઈઓએ રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત મો.૯૪૨૯૪ ૭૧૭૦૧, મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ મો.૮૯૦૫૧ ૨૩૪૫૧ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના શહેરનાં અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી મો.૮૭૫૮૧ ૨૦૪૩૫, શહેર ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાંવ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧ પર સંપર્ક કરવો. મોરબી જીલ્લા માંથી જોડાનાર તમામ યુવાનો માટે તમામ વ્યવસ્થા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી કરવા માં આવશે. વધુ માહિતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તથા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત નો જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે સાંજે ૬ થી ૮ માં સંપર્ક કરવો.






Latest News