મોરબીના પ્રેમજીનગર ગામમા મચ્છરજન્ય રોગોચાળો રોકવા માટે અભિયાન હાથ ધરાયું
SHARE
મોરબીના પ્રેમજીનગર ગામમા મચ્છરજન્ય રોગોચાળો રોકવા માટે અભિયાન હાથ ધરાયું
આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે અને લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો થવાની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો.રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS (ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે)ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર મકનસર-૨ ના તાબાના પ્રેમજીનગર ગામમા કરવામાં આવી હતી. આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, દિલીપ ચાવડા જોડાયા હતા.