મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ચોમાસા પહેલા જોખમી મિલકતો તોડવાનું શરૂ: મોરબી મહાપાલિકાનું બુલડોઝર હવે જૂની-જર્જરિત બિલ્ડીંગો ઉપર ફરી વળ્યું


SHARE











ચોમાસા પહેલા જોખમી મિલકતો તોડવાનું શરૂ: મોરબી મહાપાલિકાનું બુલડોઝર હવે જૂની-જર્જરિત બિલ્ડીંગો ઉપર ફરી વળ્યું

સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે સતત વરસાદના કારણે જૂની અને જર્જરિત મિલકતો તૂટી પડે અને જીવલેણ અકસ્માત બને તેવી ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે ત્યારે આગામી ચોમાસા દરમિયાન આવી કોઈ ઘટના મોરબી શહેરી વિસ્તારમાં ન બને તે માટે જૂની અને જર્જરિત મિલકતોને મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવા માટેની કામગીરીના શ્રીગણેશ આજથી કરવામાં આવ્યા છે

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ રોડ રસ્તાની સાઈડના નાના મોટા અને કાચા પાકા દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી તો છેલ્લા ઘણા મહિનાઓથી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં હવે ગણતરીના દિવસોમાં ચોમાસું સક્રિય થવાનું છે ત્યારે પહેલા જૂની અને જર્જરિત મિલકતો છે. તેને તોડી પાડવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ મહાપાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ જૂની અને જર્જરિત 26 જેટલી બિલ્ડીંગો આવેલ છે તેને નોટિસો આપવામાં આવી છે અને તે પૈકીની 16 બિલ્ડીંગોના આસામીઓને છેલ્લી નોટિસ પણ આપી દેવામાં આવી હતી તો પણ તેના આસામીઓ દ્વારા જૂની અને જર્જરિત મિલકતોના બાંધકામને દૂર કરવા માટેની સ્તી લેવામાં આવી ન હતી જેથી મહાપાલિકાની ટીમ દ્વારા આજે જૂની અને જર્જરિત મિલકતોને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે આજે મોરબીના વાઘપર વિસ્તારમાં વર્ષો જૂનું બે માળના મકાનને પહેલા તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અરુણોદયનગર, વર્ધમાનનગર, રિલિફનગર સહિતના વિસ્તારોમાં જે જૂની અને જર્જરિત મકાનો છે તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી કમિશનર સંજય સોની પાસેથી જાણવા મળી હતી.






Latest News