મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેમાં પાણીની પાઇપ લાઇન નડતરરૂપ બની રહી છે જેથી તેને ખસેડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં પાંચ દિવસ સુધી સામાકાંઠા વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ, નજરબાગ અને ઉમા ટાઉનશીપ પાસે આવેલ હેડ વર્કથી લોકોને પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે જોકે, નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલુ છે દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજના પીલરનું કામ કરવાનું છે ત્યાં પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે જેથી કરીને તેને ખસેડવા માટેની કામગીરી કરવી પડે તેમ છે આ કામગીરી આગામી તા. 18 થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવનાર છે જેથી સામાકાંઠા વિસ્તારમાં જે ત્રણ હેડ વર્કસથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે તે વિસ્તારમાં પાંચ દિવસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે અને નિયમિત રહેશે તેવું જાણવા મળ્યું છે.






Latest News