મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે


SHARE













મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેમાં પાણીની પાઇપ લાઇન નડતરરૂપ બની રહી છે જેથી તેને ખસેડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં પાંચ દિવસ સુધી સામાકાંઠા વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ, નજરબાગ અને ઉમા ટાઉનશીપ પાસે આવેલ હેડ વર્કથી લોકોને પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે જોકે, નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલુ છે દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજના પીલરનું કામ કરવાનું છે ત્યાં પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે જેથી કરીને તેને ખસેડવા માટેની કામગીરી કરવી પડે તેમ છે આ કામગીરી આગામી તા. 18 થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવનાર છે જેથી સામાકાંઠા વિસ્તારમાં જે ત્રણ હેડ વર્કસથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે તે વિસ્તારમાં પાંચ દિવસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે અને નિયમિત રહેશે તેવું જાણવા મળ્યું છે.








Latest News