મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે


SHARE









મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેમાં પાણીની પાઇપ લાઇન નડતરરૂપ બની રહી છે જેથી તેને ખસેડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં પાંચ દિવસ સુધી સામાકાંઠા વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવું મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગ, નજરબાગ અને ઉમા ટાઉનશીપ પાસે આવેલ હેડ વર્કથી લોકોને પીવા માટેનું પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે જોકે, નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલુ છે દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓવરબ્રિજના પીલરનું કામ કરવાનું છે ત્યાં પાણીની પાઇપલાઇન નડતરરૂપ બની રહી છે જેથી કરીને તેને ખસેડવા માટેની કામગીરી કરવી પડે તેમ છે આ કામગીરી આગામી તા. 18 થી 22 સપ્ટેમ્બર સુધી કરવામાં આવનાર છે જેથી સામાકાંઠા વિસ્તારમાં જે ત્રણ હેડ વર્કસથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે તે વિસ્તારમાં પાંચ દિવસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે અને નિયમિત રહેશે તેવું જાણવા મળ્યું છે.






Latest News