હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામનો બનાવ: કેન્સરની પીડા સહન ન થતાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવતા ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું મોત


SHARE













હળવદના રણજીતગઢ ગામનો બનાવ: કેન્સરની પીડા સહન ન થતાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવતા ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું મોત

હળવદના રણજીતગઢ ગામે રહેતા આધેડને છેલ્લા બારેક વર્ષથી મોઢાનું કેન્સર હતું અને તેની પીડા તેઓથી હવે સહન થતી ન હતી જેથી તેઓએ ગામની સીમમાં આવેલ વાડીએ પડેલ સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું જેથી આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા છોટાલાલ નારણભાઈ હડિયલ (53) નામના આધેડે ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચાવડાની વાડીએ પડેલ સૂકી જુવારના ઓઘામા આગ લગાડી હતી અને ત્યારબાદ તેમાં ઝંપલાવ્યું હતું જેથી ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના ભાઈ પ્રભુભાઈ નારણભાઈ હડિયલ (51) રહે. રણજીતગઢ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને છેલ્લા બારેક વર્ષથી મોઢાનું કેન્સર હતું જેના કારણે પીડાતા હતા અને પીડા સહન થતી ન હોય તેઓએ પોતે પોતાની જાતે સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું અને ગંભીર રીતે દાઝી જવાના કારણે તેઓનું મોત નિપજ્યું છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News