માટીની આડમાં દારૂની હેરાફેરી !:હળવદના સુખપર ગામના પાટીયા પાસે હોટલના પાર્કિંગમાંથી 4,223 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો 15.14 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન  મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા. મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામનો બનાવ: કેન્સરની પીડા સહન ન થતાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવતા ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું મોત


SHARE













હળવદના રણજીતગઢ ગામનો બનાવ: કેન્સરની પીડા સહન ન થતાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવતા ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું મોત

હળવદના રણજીતગઢ ગામે રહેતા આધેડને છેલ્લા બારેક વર્ષથી મોઢાનું કેન્સર હતું અને તેની પીડા તેઓથી હવે સહન થતી ન હતી જેથી તેઓએ ગામની સીમમાં આવેલ વાડીએ પડેલ સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું જેથી આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા છોટાલાલ નારણભાઈ હડિયલ (53) નામના આધેડે ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચાવડાની વાડીએ પડેલ સૂકી જુવારના ઓઘામા આગ લગાડી હતી અને ત્યારબાદ તેમાં ઝંપલાવ્યું હતું જેથી ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના ભાઈ પ્રભુભાઈ નારણભાઈ હડિયલ (51) રહે. રણજીતગઢ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને છેલ્લા બારેક વર્ષથી મોઢાનું કેન્સર હતું જેના કારણે પીડાતા હતા અને પીડા સહન થતી ન હોય તેઓએ પોતે પોતાની જાતે સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું અને ગંભીર રીતે દાઝી જવાના કારણે તેઓનું મોત નિપજ્યું છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News