મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો


SHARE









તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો

ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે બંધ રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને સોના ચાંદીની અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને ચોરીમાં ગયેલા મુદામાલ સાથે પોલીસે આરોપીને દબોચી લીધા બાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને એસપીની હાજરીમાં 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે.
 
ટંકારાનાં કલ્યાણપર ગામે રહેતા જયંતીલાલ ઉજરીયાનું મકાન ગત તા. 14/2 ના રોજ સવારે 9:30 થી બપોરે 1:30 સુધી 4 કલાક બંધ હતું ત્યારે તસ્કરે તેઓના બંધ મકનાને નિશાન બનવ્યું હતું અને ઘરમાંથી સોનાના બે મંગળસૂત્ર, સોનાના એક જોડી પાટલા, સોનાની એક જોડી બુટ્ટી, સોનાનો ઓમ, ચાંદીના એક જોડી પાટલા તથા સોના ચાંદીની જુદાજુદા વજનની ગીનીઓ અને રોકડા રૂપિયા 2.12 લાખની ચોરી કરી હતી જેથી જયંતીલાલ ઉજરીયાએ ટંકારમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી સોહિલ  સતારભાઈ દલની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી દાગીના, રોકડ અને સોના ચાંદીની અન્ય વસ્તુઓ મળીને 26.04 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો ત્યાર બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે જો કે, ચોરીના આ બનાવમાં ફરિયાદીના ઘરમાંથી ગયેલ સોનાના બિસ્કીટ, ચાંદીની લગડી, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમને પોલીસ દ્વારા આરોપી પાસેથી કબજે કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને આજે મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે ફરિયાદીને બોલાવીને ત્યાં એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી સમીર સારડા, એલસીબી પીઆઇ એમ.પી. પંડ્યા અને ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયાની હાજરીમાં ભોગ બનેલા પરિવારને 26.04 લાખનો મુદ્દામાલ સરકારના તેરા તુજ કો અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ઘરમાંથી ચોરીને સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગામની નજીક આવેલ કબ્રસ્તાનમાં દાટી હતી જેથી પોલીસે આરોપીને સાથે રાખીને સ્થળ ઉપરથી મુદામાલ કબ્જે કર્યો હતો આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન  વિસ્તારમાંથી અલગ અલગ વ્યક્તિઓના સાત જેટલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન પણ ટંકારા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને 1,38,287 ની કિંમતના મોબાઈલ ફોન પણ મૂળ માલિકને એસપી ઓફિસ ખાતે બોલાવીને પરત આપવામાં આવ્યા હતા






Latest News