મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન  મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા. મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો


SHARE













તેરા તુજ કો અર્પણ: ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીની વસ્તુઓ અને રોકડ સહિત 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને સુપ્રત કર્યો

ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે બંધ રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને સોના ચાંદીની અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને ચોરીમાં ગયેલા મુદામાલ સાથે પોલીસે આરોપીને દબોચી લીધા બાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને એસપીની હાજરીમાં 26.04 લાખનો મુદામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે.
 
ટંકારાનાં કલ્યાણપર ગામે રહેતા જયંતીલાલ ઉજરીયાનું મકાન ગત તા. 14/2 ના રોજ સવારે 9:30 થી બપોરે 1:30 સુધી 4 કલાક બંધ હતું ત્યારે તસ્કરે તેઓના બંધ મકનાને નિશાન બનવ્યું હતું અને ઘરમાંથી સોનાના બે મંગળસૂત્ર, સોનાના એક જોડી પાટલા, સોનાની એક જોડી બુટ્ટી, સોનાનો ઓમ, ચાંદીના એક જોડી પાટલા તથા સોના ચાંદીની જુદાજુદા વજનની ગીનીઓ અને રોકડા રૂપિયા 2.12 લાખની ચોરી કરી હતી જેથી જયંતીલાલ ઉજરીયાએ ટંકારમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી સોહિલ  સતારભાઈ દલની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી દાગીના, રોકડ અને સોના ચાંદીની અન્ય વસ્તુઓ મળીને 26.04 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો ત્યાર બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે જો કે, ચોરીના આ બનાવમાં ફરિયાદીના ઘરમાંથી ગયેલ સોનાના બિસ્કીટ, ચાંદીની લગડી, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમને પોલીસ દ્વારા આરોપી પાસેથી કબજે કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટમાંથી મંજૂરી મેળવીને આજે મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે ફરિયાદીને બોલાવીને ત્યાં એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી સમીર સારડા, એલસીબી પીઆઇ એમ.પી. પંડ્યા અને ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયાની હાજરીમાં ભોગ બનેલા પરિવારને 26.04 લાખનો મુદ્દામાલ સરકારના તેરા તુજ કો અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ઘરમાંથી ચોરીને સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગામની નજીક આવેલ કબ્રસ્તાનમાં દાટી હતી જેથી પોલીસે આરોપીને સાથે રાખીને સ્થળ ઉપરથી મુદામાલ કબ્જે કર્યો હતો આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન  વિસ્તારમાંથી અલગ અલગ વ્યક્તિઓના સાત જેટલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન પણ ટંકારા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને 1,38,287 ની કિંમતના મોબાઈલ ફોન પણ મૂળ માલિકને એસપી ઓફિસ ખાતે બોલાવીને પરત આપવામાં આવ્યા હતા




Latest News