માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત
Breaking news
Morbi Today

કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા.


SHARE









કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવર-સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીનભાઈ ગડકરીજી ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના લોકસભા મતક્ષેત્રનાં ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-754K (ઘડુલી-સાંતલપુર રોડ) ના 165.58 કિમી લાંબા લખપત, ઘડુલી, ઝારા, હાજીપીર, ખાવડા, રોડ ટુ હેવન ધોળાવીરા રોડ સેકશનને કુલ  650.42 કરોડના ખર્ચે બે લેન પેવ્ડ સોલ્ડર (10 મી.) સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીનભાઈ ગડકરીજીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે. આ હાઇવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાન ની અવર જવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. હાલમાં, હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડ - ભાડ વાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે ટુ લેન વાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસ ને ખુબ વેગ આપશે. કચ્છ - મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જાહેરાત ને આવકરતા જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના વિકાસકામો ને અગ્રતા આપવા બદલ તેમને હૃદય પૂર્વક બિરદાવ્યૂ હતું.






Latest News