મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













માળીયા (મી)ના વારવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

માળીયા (મી)ના તાલુકાના વારવા ગામની સીમ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન એકલવયુ જીવન જીવતો હોય નાસીપાસ થઈ ગયો હતો અને તેણે પોતાના લેબર કવાર્ટરમાં છતમાં લગાવેલ પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના વારવા ગામની સીમમાં આવેલ સીમ્પોલો પીવીટી લિમિટેડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો આકાશપ્રશાંરાજેન્દ્રપ્રશાં (25) નામના યુવાને લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વખત પ્રમાણે મૃતક યુવાન લેબર ક્વાર્ટરમાં એકલવાયું જીવન જીવતો હોય તે જિંદગીથી નાસી પાસ થઈ ગયો હોવાના કારણે તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News