મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં ભવ્ય ડો. બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ


SHARE











ટંકારામાં ભવ્ય ડો. બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ

ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ માટે સામાજિક સમરસતા અને શૈક્ષણિક પ્રગતિના પ્રતીક સમાન નવનિર્મિત ડો. ભીમરાવ આંબેડકર ભવનનું સાંસદો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને કેસરીદેવસિંહજી, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જ્યંતિભાઈ રાજકોટીયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કમળાબેન ચાવડા, અશોકભાઇ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું તો સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજકીય સત્તાના માધ્યમથી સામાજિક પરિવર્તન અને ઉત્થાન કેવી રીતે લાવી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. અને સમાજ કલ્યાણ નિયામક છાશિયાએ સરકારની વિવિધ શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સમાજને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ મહંત લાલદાસબાપુએ ધાર્મિકતા અને ડો. બાબા સાહેબની વિચારધારાનો સમન્વય કરી ઊંડાણપૂર્વકની સમજ આપી હતી.






Latest News