માટીની આડમાં દારૂની હેરાફેરી !:હળવદના સુખપર ગામના પાટીયા પાસે હોટલના પાર્કિંગમાંથી 4,223 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો 15.14 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં વિહિપ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા બહેનોને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ ફિલ્મ બતાવવામાં આવી મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી મહિલા શક્તિઓનું કરાયું સન્માન  મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર, સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ કચ્છ જિલ્લામાં ઘડુલી-સાંતલપુર રોડને 650.42 કરોડ રૂપિયાના ખર્ચે પેવ્ડ સોલ્ડર ટુ લેન પહોળો બનાવવાનું કામ મંજૂર: સાંસદ વિનોદભાઇ ચાવડા. મોરબી જીલ્લામાં રહેતા ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના દીકરાઓ જોગ: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે હળવદના ઘનશ્યામનગર ગામે ‘જલ અર્પણ’, ‘સેવા સેતુ’ અને આરોગ્ય કેમ્પ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબાથી સુલતાનપુર તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક પાસે રિક્ષા ફસાઇ જતા ટ્રેનને રોકવી પડી


SHARE













માળીયા (મી)ના માણાબાથી સુલતાનપુર તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક પાસે રિક્ષા ફસાઇ જતા ટ્રેનને રોકવી પડી

માળીયા તાલુકાના માણાબા ગામથી ચીખલી અને સુલતાનપુર ગામ તરફ જવાનો રસ્તા ઉપર રેલવે ટ્રેક ઉપર જે ફાટક આવેલ છે ત્યાં ફાટક પાસે રોડમાં કાંકરેટ નાખવામાં આવી છે અને રોડનું કામ કરવામાં આવી રહ્યું છે જેથી ત્યા અવારનવાર વાહનો ફસાતા હોય છે દરમિયાન આજે એક રીક્ષા ફસાઈ ગઈ હતી જેના કારણે રાલ્વે ટ્રેક ઉપરથી પસાર થઇ રહેલી ટ્રેનને રોકવી પડી હતી.

છેલ્લા ઘણા દિવસોથી માળિયા તાલુકાના માણાબા ગામથી અને સુલતાનપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેલવે ફાટક આવેલ છે ત્યાં રેલવેના ટ્રેક પાસે કાંકરેટ નાખીને રોડ બનાવવા માટેનુંષકામ ચાલી રહ્યુ છે ત્યાં આજે બપોરના સમયે એક રિક્ષા ફસાઇ ગઇ હતી. જોકે, તે રીક્ષાને રેલવે ટ્રેક ઉપર થી દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ટ્રેન નજીક આવી ગઈ ત્યાં સુધી રેલવે ટ્રેક ઉપરથી રીક્ષા દૂર થઈ શકી ન હતી જેથી કરીને રેલ્વે ટ્રેક ઉપર કોઇ અકસ્નાત ન બને તે માટે ટ્રેનના ડ્રાઇવરની સમય સુચકતાના લીધે ટ્રેનને રોકવામાં આવી હતી અને પહેલા રીક્ષાને ત્યાંથી દુર કર્યા બાદ ટ્રેનને રલવે ટ્રેક ઉપરથી પસાર કરવામાં આવી હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે હવે જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા રેલવે ટ્રેક પાસે યોગ્ય કામગીરી વહેલી તકે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લાગણી અને માગણી સુલતાનપુર અને ચીખલી ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે કેમ કે, માણાબાથી સુલતાનપુર અને ચિખલી ગામ તરફ જવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને તે રસ્તા ઉપર રેલ્વે ટ્રેક આવે છે ત્યાં હાલમાં ફાટક પાસે કામગીરી ચાલી રહી છે.




Latest News