હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE













ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું અવસાન થયું હોય તેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતા હતી જેના કારણે તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની નજીક આવેલ વાડીના કૂવામાં પડીને તેણે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ જગોદરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કમલસિંહ ગુમાનભાઈ અજનારે (40) નામના યુવાને મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કુવામાં પડ્યો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરા કાન્હાભાઈ કમલસિંગ અજનારે (20) રહે. હાલ મોટા ખીજડીયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું આશરે દોઢેક માસ પહેલા અવસાન થયું હતું જેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતામાં ગત તારીખ 14/1 ના સાંજના સમયે પોતે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કૂવામાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News