મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE









ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું અવસાન થયું હોય તેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતા હતી જેના કારણે તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની નજીક આવેલ વાડીના કૂવામાં પડીને તેણે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ જગોદરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કમલસિંહ ગુમાનભાઈ અજનારે (40) નામના યુવાને મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કુવામાં પડ્યો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરા કાન્હાભાઈ કમલસિંગ અજનારે (20) રહે. હાલ મોટા ખીજડીયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું આશરે દોઢેક માસ પહેલા અવસાન થયું હતું જેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતામાં ગત તારીખ 14/1 ના સાંજના સમયે પોતે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કૂવામાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News