માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ


SHARE













વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેરનાં મિલપ્લોટ વિસ્તારનાં રેલ્વે ફાટક પ્રશ્નનું વર્ષો બાદ પણ નિરાકરણ નથી કરાયું, હજારો વાહન ચાલકો વર્ષોથી આ ફાટકથી પરેશાની ભોગવી રહ્યા છે.

મિલપ્લોટ રેલ્વે ફાટક પરથી દિવસ દરમ્યાન અનેક વાર ટ્રેનોની અવર જવર રહે છે ત્યારે આ એક જ માર્ગ હોય વારંવાર ફાટક બંધ થતાં હજારો વાહન ચાલકોની હાલાકી થાય છે, રેલ્વે સ્ટેશન જવાનો પણ આ એક જ મુખ્ય માર્ગ હોય રેલ્વે મુસાફરોને પણ ફાટકને કારણે દોડધામ થાય છે, આ ઉપરાંત રેલ્વેસ્ટેશનમાં પ્રવેશતા પહેલા પણ વધુ એક ફાટક આવતું હોય દિવસ દરમ્યાન અનેક વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, હજારો રાહદારીઓ નો સમય વેડફાય છે આ મુદ્દે અનેક રજૂઆતો થઈ છે અહીં ઓવર બ્રિજ કે કોઈ પણ યોગ્ય રીતે નિરાકરણ કરવા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં નથી આવતું અને હજારો વાહન ચાલકો અને આ વિસ્તારનાં રહેવાસીઓ દિવસ દરમ્યાન અનેક વાર ફાટક બંધ હોવાને લીધે ભારે હાલાકી વર્ષોથી ભોગવી રહ્યા છે ચુંટણી સમયે આ ફાટક પ્રશ્નનાં નિવારણ માટે ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ હજારો રાહદારીઓને પડતી હાલાકીનું નિવારણ કરવા હજુ સુધી કોઈ જ રાજકીય અગ્રણીઓએ ગંભીરતા દાખવી નથી ત્યારે હજારો લોકોની થઈ રહેલ હાલાકીને ધ્યાનમાં લઈ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ ઉઠવા પામી છે.




Latest News