મોરબીમાં વાહન ચાલકો પાસે દંડ વસૂલતી પોલીસને સાપ્તાહિક બજાર કેમ દેખાતી નથી ?
વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ
SHARE









વાંકાનેર મિલપ્લોટ રેલ્વે ફાટક પ્રશ્ન વર્ષો બાદ પણ અધ્ધરતાલ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેરનાં મિલપ્લોટ વિસ્તારનાં રેલ્વે ફાટક પ્રશ્નનું વર્ષો બાદ પણ નિરાકરણ નથી કરાયું, હજારો વાહન ચાલકો વર્ષોથી આ ફાટકથી પરેશાની ભોગવી રહ્યા છે.
મિલપ્લોટ રેલ્વે ફાટક પરથી દિવસ દરમ્યાન અનેક વાર ટ્રેનોની અવર જવર રહે છે ત્યારે આ એક જ માર્ગ હોય વારંવાર ફાટક બંધ થતાં હજારો વાહન ચાલકોની હાલાકી થાય છે, રેલ્વે સ્ટેશન જવાનો પણ આ એક જ મુખ્ય માર્ગ હોય રેલ્વે મુસાફરોને પણ ફાટકને કારણે દોડધામ થાય છે, આ ઉપરાંત રેલ્વેસ્ટેશનમાં પ્રવેશતા પહેલા પણ વધુ એક ફાટક આવતું હોય દિવસ દરમ્યાન અનેક વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, હજારો રાહદારીઓ નો સમય વેડફાય છે આ મુદ્દે અનેક રજૂઆતો થઈ છે અહીં ઓવર બ્રિજ કે કોઈ પણ યોગ્ય રીતે નિરાકરણ કરવા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં નથી આવતું અને હજારો વાહન ચાલકો અને આ વિસ્તારનાં રહેવાસીઓ દિવસ દરમ્યાન અનેક વાર ફાટક બંધ હોવાને લીધે ભારે હાલાકી વર્ષોથી ભોગવી રહ્યા છે ચુંટણી સમયે આ ફાટક પ્રશ્નનાં નિવારણ માટે ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ હજારો રાહદારીઓને પડતી હાલાકીનું નિવારણ કરવા હજુ સુધી કોઈ જ રાજકીય અગ્રણીઓએ ગંભીરતા દાખવી નથી ત્યારે હજારો લોકોની થઈ રહેલ હાલાકીને ધ્યાનમાં લઈ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ ઉઠવા પામી છે.

