ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન


SHARE













મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ મોરબી જિલ્લો તથા રાધે કૃષ્ણ પરિવાર દ્વારા આગામી પવિત્ર ચૈત્ર માસમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને સમૂહ રાંદલ મહોત્સવ યોજાશે.

કથાનો પ્રારંભ તા 11/04 ને શનિવારથી કરવામાં આવશે અને કથાનો સમય બપોરે 3 થી 7 કલાક સુધી રહેશે તેમજ સમૂહ રાંદલ મહોત્સવ તા 14/04 ને મંગળવારે રાખવામા આવેલ છે અને કથા પૂર્ણાહુતિ તા 17/04 ને શુક્રવારના રોજ યોજાશે. આ કથામાં વ્યાસપીઠ પરથી વિદ્વાન ભાગવતાચાર્ય નિખિલભાઈ જોષી (મોરબી) પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

જે પરિવારો પિતૃઓના મોક્ષાર્થે ભાગવત નથી કરી શકતા, તેવા ભક્તો માટે માત્ર 5001 માં પોથીજી બિરાજમાન કરી આપવામાં આવશે. જેમાં પિતૃપૂજન, પોથી પૂજન, આરતી અને પૂજાપાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ રાંદલ મહોત્સવમાં માત્ર 4501 માં રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં 2 લોટા રાંદલ, તમામ પૂજાપો, ભૂદેવોની દક્ષિણા અને પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ આયોજનને સફળ બનાવવા કિરણબેન ઠાકર (જિલ્લા પ્રમુખ), હીનાબેન પંડ્યા, નિશાબેન જોષી, પ્રજ્ઞાબેન ઓઝા, દર્શનાબેન જોષી, નેહલબેન રાવલ, રૂપલબેન શુક્લ, હર્ષાબેન દવે સહિતના બ્રહ્મસમાજ અને રાધે કૃષ્ણ પરિવારના હોદ્દેદારો તેમજ મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ અને સહભાગી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક કાર્યમાં જોડાવા અને નામ નોંધાવવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News